PM Krishi Sinchayee Yojana 2024 : આપણા દેશમાં લગભગ 141 મિલિયન હેક્ટરના કુલ વાવેતર વિસ્તારમાંથી હાલમાં લગભગ 65 મિલિયન હેક્ટર એટલે લગભગ 45 ટકા સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. શ્રમ પર વધુ નિર્ભરતા રહેતા ખેડૂતો માટે સૂકાવિસ્તારોમાં ખેતીને જોખમી અને ઓછો ઉત્પાદક વ્યવસાય બનાવે છે. આ માટે સરકાર દ્વારા ખેડૂતોને સિંચાય માટે સહાય કરે છે.
જેથી ખેડૂતો વધારે ઉત્પાદન લઈશકે અને આગળ વધી શકે. ખેડૂતો માટે સારી સિંચાય સગવડતા ઉત્પાદકતા અને કૃષિ આવકમાં વધારો કરે છે અને તેમની સાથે ખેતી સંબંધિત ટેકનીકોને વધારવામાં મદદ રૂપ થાય છે.
PM Krishi Sinchayee Yojana 2024 : આજે આ લેખમાં અમે તમને વિશે તમામ જરૂરી માહિતી આપીશું. આ લેખમાં તમે જાણી શકશો કે માટે કેવી રીતે અરજી કરવી, જરૂરી દસ્તાવેજો, ફાયદા અને આ યોજનાની વિશેષતાઓ શું છે? ચાલો હવે આપણે લેખમાં PMKSY 2024 વિશે જાણીએ.
PM Krishi Sinchayee Yojana 2024 : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત તમામ ખેડૂતોને સિંચાઈ માટેના સાધનોની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે.
આ PM Krishi Sinchayee Yojana 2024 એ એવી કૃષિ યોજના છે કે જેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડે છે. તમને ન ખબર હોય તો જણાવી દઈએ કે સરકારે આ ને વર્ષ 2026 સુધી લંબાવી છે. જેથી કરીને બધા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે.
આ (PMKSY) 2024 આગામી 5 વર્ષ માટે આ યોજનામાં અંદાજિત કુલ ખર્ચ 93068 કરોડ રૂપિયા રહેશે. અમે તમને જણાવી દઈએ કે આ યોજનામાં કુલ ખર્ચમાંથી 37454 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. જેથી આ યોજના માટે વધુ સારી રીતે કામ કરી શકાય અને આ યોજના માટે કોઈ પણ વંચિત ન રહીજાય. આ યોજનાથી ખેડૂતોને આગામી કેટલાક વર્ષો સુધી પાકની સિંચાઈ માટે ચોમાસા પર આધાર રાખવો પડશે નહીં.
આ યોજના હેઠળ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2024 હેઠળ જો કોઈ ખેડૂત સિંચાઈના સાધનો ખરીદે છે તો તેમને સરકાર તરફથી સબસિડી મળે છે. જેમ આપણે ઉપર લેખમાં ઉલ્લેખ કર્યો છે કે PM Krishi Sinchayee Yojana 2024 આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે. આના દ્વારા લગભગ 22 લાખ ખેડૂતોને લાભ થશે જેમાંથી 2.5 લાખ અનુસૂચિત જાતિ અને 2 લાખ અનુસૂચિત જનજાતિના ખેડૂતોનો પણ સમાવેશ થાય છે.
આ યોજનાનું નામ:- | પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024, |
યોજનાને લગતા વિભાગનું નામ:- | કૃષિ વિભાગ, |
યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી:- | કેન્દ્ર સરકાર દ્વારા, |
ક્યારે શરુ કરવામાં આવી:- | 2015, |
લાભાર્થી:- | ભારતના તમામ ખેડૂતો, |
યોજના માટેનું ચાલુ વર્ષ:- | 2024, |
યોજનાનો હેતુ:- | ખેડૂતોને સિંચાઈ માટેના સાધનોની ખરીદી માટે, |
અરજીની પ્રક્રિયા:- | ઓનલાઈન, |
ઓફિશ્યલ વેબસાઈટ:- | pmksy.gov.in |
PM Krishi Sinchayee Yojana 2024 ના મુખ્ય મુદ્દા
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) 2024 હેઠળ કેન્દ્ર સરકાર યોજનાના સંચાલન માટે તમામ રાજ્યોને કેન્દ્રીય અનુદાન પ્રદાન કરશે. આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે અને આ યોજના હેઠળ ત્રણેય ઘટકોના અમલીકરણને પૂર્ણ કરશે જેમકે એક્સીલરેટેડ ઈરીગેશન બેનિફિટ પ્રોગ્રામ (AIBP), હર ખેત કો પાણી (HKKP) અને વોટરશેડ ડેવલપમેન્ટ.
- આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો ભાગ 75:25 ટકા રહેશે. જેમાં 75% કેન્દ્ર સરકાર અને બાકી 25% રાજ્ય સરકાર ભોગવશે.
- ઉત્તર પૂર્વીય પ્રદેશો અથવા પર્વતીય વિસ્તારોમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટની રકમ 90% હશે અને રાજ્ય સરકાર 10% ચૂકવશે.
- કૃષિ સિંચાઈ યોજના ક્ષેત્રીય સ્તરે સિંચાઈમાં રોકાણનું સંકલન મેળવા માટે શરૂ કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા સિંચાઈના સાધનો વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
- ખેતીલાયક જમીનના વિસ્તરણની સાથે સાથે સિંચાઈની પણ જરૂર પડે છે, જેના માટે આ યોજના હેઠળ સરકાર દ્વારા કામગીરી કરવામાં આવશે.
- આ ઉપરાંત સિંચાઈ દરમિયાન પાણીનો બગાડ ઓછો થાય તે માટે પણ ધ્યાન આપવામાં આવશે. પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય જેથી કરીને પાણીનો બગાડ ન થાય અને તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય.
PM Krishi Sinchayee Yojana 2024 માં સમાવેશ થતી અન્ય યોજના
તમને આ બાબતની નહિ ખબર હોય તેમાટે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે PM Krishi Sinchayee Yojana 2024 માં અન્ય ત્રણ મહત્વની યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય યોજનાઓ વિવિધ વિભાગો દ્વારા ચલાવવામાં આવી રહી છે. હવે આ બધાને એક યોજના PM Krishi Sinchayee Yojana 2024 હેઠળ લાવવામાં આવશે અને આગળ લઈ જવામાં આવશે. તો ચાલો આપણે તે યોજના વિશે માહિતી મેલાવિએ.
આ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ (AIBP):- જળ સંસાધન મંત્રાલય, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ તેમને હવે જલ શક્તિ મંત્રાલય તરીકે પણ ઓળખાય છે.
- ઓન-ફાર્મ વોટર મેનેજમેન્ટ (OFWM):- કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ.
- ઇન્ટીગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (IWMP):- જમીન સંસાધન વિભાગ, ગ્રામીણ વિકાસ મંત્રાલય.
PM Krishi Sinchayee Yojana 2024 નો મુખ્ય ઉદેશ્ય:-
આપણે જાણીએ છીએ કે સરકાર દેશમાં ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અવાર નવાર લાવતી રહે છે. જેમાંથી સિંચાઈને લગતી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આ પણ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની ટેગ લાઇન પ્રમાણે તેનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ક્ષેત્રને પાણી આપવાનો છે.
આ યોજનામાં આપવામાં આવતી સબસિડી દ્વારા તમામ ખેડૂતો ઓછા પૈસામાં સારા સાધનો ખરીદી શકશે અને કોઈપણ મુશ્કેલી વિના તેમના ખેતરોમાં પર્યાપ્ત સિંચાઈ પણ આપી શકશે. તમને ખબર છે કે આ યોજના શરૂ કરવાનો સરકારનો ઉદ્દેશ્ય એ હતો કે તમામ ખેડૂતો તેમની સારી ખેતી અને ઉત્પાદન માટે યોગ્ય રીતે સિંચાઈ કરી શકે. ખેડૂતોને સાવ ચોમાસા પર આધાર રાખવો પડતો નથી.
આપણે જાણીએ છીએ કે દેશમાં ઘણી વખત એવું બન્યું છે કે ચોમાસા પર નિર્ભર ખેડૂતોને ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી નુકસાન થયું છે. આવી સ્થિતિમાં જેમની આવક ખેતીમાંથી જ આવે છે તેમના માટે તે એક મોટી સમસ્યા બની જાય છે. જો આવું એકથી વધુ વખત થાય તો ખેડૂતો માટે આ સમસ્યા મોટી બની જાય છે. જેના કારણે ઘણી વખત ખેડૂતો ખેતી છોડીને આવકના નવા સ્ત્રોત માટે અન્ય રોજગાર તરફ વળે છે.
આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર આ હેઠળ ખેડૂતોનું ખેતીમાંથી સ્થળાંતર અટકાવવા અને તેમને સિંચાઈ માટે સારી સુવિધા પૂરી પાડવા માટે અને તેમની નિયમિત આવકમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી PM Krishi Sinchayee Yojana 2024 યોજના શરૂ કરવામાં આવી છે.
મુખ્ય ફાયદા
- PM Krishi Sinchayee Yojana 2024 એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
- આ યોજનામાં અંદાજિત કુલ ખર્ચ 93068 કરોડ રૂપિયા રહેશે.
- આ યોજનામાં કુલ ખર્ચમાંથી 37454 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.
- આ યોજનામાં કેન્દ્ર સરકાર રાજ્યોમાં કૃષિ વિકાસ માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે.
- સરકાર ખેડૂતોને આ યોજના હેઠળ સિંચાઈના સાધનોની ખરીદી પર સબસિડી આપે છે.
- સબસીડી મળવાથી ખેડૂતોને સિંચાઈના સાધનો ખરીદવામાં સરળતા રહેશે અને તમામ જરૂરિયાતમંદ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે.
- આ યોજનાથી તમામ ખેતીલાયક ખેતરોમાં પાણી પહોંચશે અને પાકની ઉત્પાદકતા વધશે.આ યોજનાથી સીધી અસર ખેડૂતોની આવક પર પડશે.
- સારા પાકના સારા ભાવ મળવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
- આ યોજનાથી પાકના ઉત્પાદન માટે ચોમાસા પરની નિર્ભરતા પણ ઘટશે અને સિંચાઈ માટે પાણીનો પુરતો જથ્થો પણ ઉપલબ્ધ થશે.
- આ યોજના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ ચલાવવામાં આવશે.
- આ યોજનામાં વપરાયેલ ભંડોળમાંથી 75 ટકા કેન્દ્ર સરકાર દ્વારા ફાળો આપવામાં આવે છે અને 25 ટકા રાજ્ય સરકાર દ્વારા ફાળો આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ પાણી વ્યવસ્થાપન વગેરે જેવી અન્ય તમામ મહત્વની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે.
- આ યોજનામાં ઉત્તર-પૂર્વીય વિસ્તારો અને પર્વતીય વિસ્તારો માટે આ 90:10 ટાકા નો સરેરાશ રેસિયો હશે.
અરજી કરવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ
ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા તમામ ખેડૂતો અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા અરજદારોએ નીચે દર્શાવેલ પાત્રતાના માપદંડોને અનુસરવા જેથી કરીને સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો.
- અરજી કરનાર અરજદાર મૂળ ભારત દેશનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- અરજી કરનાર ખેડૂતની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- તમામ રસ ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે.
- તમામ ખેડૂતો આ યોજના માટે પાત્રતા ધરાવશે.
- અરજદાર ખેડૂતો પાસે પોતાની ખેતીની જમીન હોવી જોઈએ.
- જે ખેડૂતોએ છેલ્લા 7 વર્ષથી લીઝ એગ્રીમેન્ટ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર લીધેલી જમીન પર ખેતી કરી છે તેઓ પણ આ યોજના હેઠળ અરજી કરી શકે છે.
- કોઈપણ સ્વ-સહાય જૂથો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, સમાવિષ્ટ કંપનીઓ, ઉત્પાદક ખેડૂત જૂથોના સભ્યો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
PM Krishi Sinchayee Yojana 2024 માટે જરૂરી દસ્તાવેજો
આ યોજના માટે જરૂરી દસ્તાવેજ વિશે વિગત વાર જાણીએ.
- અરજી કરનારનું આધાર કાર્ડ,
- ઓળખપત્ર,
- ખેતીલાયક જમીનના દસ્તાવેજો,
- ફીલ્ડ ડિપોઝીટ / ફીલ્ડ કોપી,
- સરનામા / રહેઠાંણનો પુરાવો,
- મોબાઇલ નંબર,
- જાતિનું પ્રમાણપત્ર,
- બેંક ખાતાની પાસબુક,
- પાસપોર્ટ સાઇઝનો ફોટો.
આ બધા દસ્તાવેજ અરજદાર ખેડૂતે અરજી કરતી વખતે જરુરી રહશે. તો આ બાબતે અરજદાર ખેડૂતે ખાસ નોંધ લેવી.
કેવી રીતે અરજી કરવી
જો તમે પણ માટે અરજી કરવા માંગો છો તો તમારે આ pmksy.gov.in વેબસાઈટ પર તમારી નોંધણી કરાવવી પડશે. જે પછી તમે લોગિન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અને તમે રાજ્યની સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકો છો. તો ચાલો અપણે જોઈએ કે અરજી કેવી રીતે કરવી.
1. સૌ પ્રથમ અરજદારે PM Krishi Sinchayee Yojana 2024 ની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહશે
2. અહીં અરજદાર ના સંબંધિત તમામ માહિતી વાંચી શકશે.
3. હવે અરજદારે પોતાના રાજ્યના કૃષિ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરવાની રહેશે.
4. પછી વેબ પેજ પર તમારે લોગિન સેક્શનમાં જવું પડશે.
5. પછી તમારા ઈમેલ આઈડી અને પાસવર્ડ વડે પોર્ટલ પર લોગઈન કરો.
6. જો તમે નોંધણી ન કરાવી હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરો અને પછી લોગીન કરો.
7. હવે અરજદારે પોતાના સબંધીત યોજના પર ક્લિક કરવાનું રહશે.
8. ત્યાં પૂછવામાં આવેલી તમામ માહિતી સાચી ભરવાની રહશે.
9. ત્યાર બાદ બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહશે.
10. હવે અરજદારે બધી માહિતી અપડેટ કર્યા પછી સબમિટ કરવાનું રહશે.
મહત્વની લીંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો. |
ઓફિશ્યલ વેબસાઈટ | pmksy.gov.in |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને PM Krishi Sinchayee Yojana 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
PM Krishi Sinchayee Yojana 2024 માટે FAQs
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.